ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

ભારતમાં 13.5 કરોડ લોકો ગરીબમાંથી બન્યા મધ્યમ વર્ગીય, જાણો કેવી રીતે થાય છે ગણતરી?

  • 13.5 કરોડ લોકો ગરીબમાંથી નવા મધ્યમ વર્ગ બન્યા – પીએમ મોદી
  • પ્રથમ વખત આ રિપોર્ટ 2021માં આવ્યો હતો

સ્વતંત્રતા દિવસે પીએમ મોદીએ સંબોધન કર્યું હતું. જેમાં કેટલાક મહત્વના મુદ્દાઓ પર વડાપ્રધાન દ્વારા વાત કરવામાં આવી હતી. ત્યારે સ્વતંત્રતા દિવસના ભાષણમાં પીએમ નરેન્દ્ર મોદીએ કહ્યું કે, તેમની સરકારના પ્રથમ પાંચ વર્ષમાં 13.5 કરોડ લોકો ગરીબમાંથી નવા મધ્યમ વર્ગમાં જોડાયા છે. ત્યારે તેમણે કહ્યું હતું કે, જ્યારે ગરીબી સમાપ્ત થાય છે. ત્યારે મધ્યમ વર્ગની શક્તિ વધે છે.જ્યારે ગરીબોની ખરીદશક્તિ વધે છે. ત્યારે મધ્યમ વર્ગનો વેપાર પણ વધે છે.

નેશનલ હેલ્થ ફેમિલી હેલ્થ સર્વે 2019-21ના ડેટાનો ઉપયોગ 2023 ઇન્ડેક્સમાં કરવામાં આવ્યો હતો. આમાં ચોથા સર્વેક્ષણ 2015-16 અને પાંચમા સર્વેક્ષણ 2019-21 દરમિયાન બહુ-પરિમાણીય ગરીબીમાં થયેલા ફેરફારોનો સમાવેશ થાય છે. NHFSના ચોથા અને પાંચમા રિપોર્ટ દરમિયાન, બહુ-પરિમાણીય ગરીબોનો આંકડો 25 ટકાથી ઘટીને 15 ટકા થયો છે. આ હિસાબે 13.5 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા.

મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ શું છે તે જાણો
બહુપરીમાણીય ગરીબી ત્રણ બાબતો પર ચાલે છે. તેમાં આરોગ્ય, પોષણ, શિક્ષણ અને જીવનધોરણનો સમાવેશ થાય છે. યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ વૈશ્વિક બહુપરિમાણીય ગરીબી માપદંડ ઓક્સફોર્ડ ગરીબી અને માનવ વિકાસ પહેલ દ્વારા ઉપયોગમાં લેવાતી સમાન પદ્ધતિનો ઉપયોગ કરીને ઇન્ડેક્સ બનાવવામાં આવ્યો છે.પરંતુ ભારતનો બહુપરીમાણીય ગરીબી સૂચકાંક વૈશ્વિક સૂચકાંકથી અલગ છે. ભારતમાં તેને તૈયાર કરતી વખતે 12 બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે જ્યારે વૈશ્વિક સૂચકાંક તૈયાર કરતી વખતે 10 બાબતોનો અમલ કરવામાં આવે છે. વૈશ્વિક બહુપરિમાણીય ગરીબી સૂચકાંકનો 2023નો અહેવાલ જણાવે છે કે 2005-2015 દરમિયાન ભારતમાં 415 મિલિયન લોકો ગરીબોમાંથી બહાર નીકળી ગયા હતા. આમાં ભારતમાં રહેતા ગરીબોનું પ્રમાણ 16.4 ટકા છે, જ્યારે નીતિ આયોગ તેને 14.96 ટકા માને છે.

ભારતમાં મધ્યમ વર્ગની ગણતરી કરવાની કોઈ સત્તાવાર રીત નથી.
મહત્વનું છે કે, ભારતની ગરીબીના આંકડા 2011ના ડેટા પરથી લેવામાં આવ્યા છે. તે અપડેટ કરવામાં આવ્યું ન હતું કારણ કે 2017-18 દરમિયાન વપરાશ ખર્ચ સર્વેક્ષણ સરકાર દ્વારા નકારી કાઢવામાં આવ્યું હતું. તે મુજબ ગામડાઓમાં રહેતા લોકોની ખરીદ શક્તિ ઘટી છે. એટલે કે ગરીબી વધી રહી છે. બીજી બાજુ, ભારતમાં મધ્યમ વર્ગની ગણતરી કરવાની કોઈ સત્તાવાર રીત નથી. આવી સ્થિતિમાં એ કહેવું મુશ્કેલ છે કે કોણ ગરીબી રેખામાંથી બહાર આવ્યું અને કોણ નહીં?

આ પણ વાંચો : 77માં સ્વતંત્રતા દિવસે સ્વદેશી તોપોથી આપવામાં આવી સલામી; જૂઓ વીડિયો

Back to top button