ટ્રેન્ડિંગનેશનલ

125 કેદીઓ HIV પોઝીટીવ, 200 કેદીઓને સિફિલિસની બીમારી, જાણો કઈ જેલની છે આ સ્થિતિ?

  • દિલ્હીની તિહાર જેલમાં 125 કેદીઓ HIV પોઝીટીવ મળી આવ્યા છે. 200 કેદીઓમાં સિફિલિસની બીમારી જોવા મળ્યો છે. ટીબીનો કોઈ પોઝિટિવ કેસ નથી

દિલ્હી, 27 જુલાઈ: દિલ્હીની તિહાર જેલમાંથી ચોંકાવનારા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. અહીં 125 કેદીઓ HIV પોઝીટીવ મળી આવ્યા છે. દિલ્હીની તિહાડ જેલમાં તિહાર, રોહિણી અને મંડોલી એમ ત્રણ જેલ છે. અહીં જ આ ચેપગ્રસ્ત કેદીઓ મળી આવ્યા છે. એચઆઈવી પોઝીટીવ કેદીઓ નવા નથી, તેઓ પહેલેથી જ એઈડ્સથી પીડિત છે. 200 કેદીઓમાં સિફિલિસની બીમારી પણ જોવા મળી છે.

શું છે સમગ્ર મામલો?

તિહારમાં લગભગ સાડા 10 હજાર કેદીઓની મેડિકલ સ્ક્રીનિંગ કરવામાં આવી છે. જેલમાં અંદાજે 14,000 કેદીઓ છે. તિહાર જેલમાં સમયાંતરે કેદીઓની મેડિકલ તપાસ કરવામાં આવે છે. તાજેતરમાં જ નવા ડીજી સતીશ ગોલચાએ તિહાર જેલનો હવાલો સંભાળ્યા બાદ મે અને જૂનમાં સાડા દસ હજાર કેદીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવ્યું હતું, તેમાં સાડા ​​દસ હજાર કેદીઓના એચઆઈવી ટેસ્ટ કરવામાં આવ્યા હતા, જેમાંથી 125 કેદીઓ એચઆઈવી પોઝીટીવ મળી આવ્યા છે. જો કે, અત્રે નોંધનીય બાબત એ છે કે આ કેદીઓને તાજેતરમાં એઇડ્સ નથી થયો, પરંતુ અલગ-અલગ સમયે અને જ્યારે આ કેદીઓ બહારથી જેલમાં આવ્યા ત્યારે તેમના મેડિકલ ટેસ્ટ કરવામાં આવ્યા હતા અને ત્યારે પણ તેઓ HIV પોઝીટીવ હતા.

જેલમાં આવતા પહેલા કેદીઓનું મેડિકલ ચેકઅપ કરવામાં આવે છે. ત્યારથી તે એઈડ્સનો શિકાર હતા. હવે ફરી જ્યારે બહુવિધ કેદીઓની તપાસ કરવામાં આવી ત્યારે માત્ર આ 125 કેદીઓ જ એઈડ્સનો શિકાર હોવાનું જણાયું હતું. આ સિવાય સાડા દસ હજાર કેદીઓમાંથી 200 કેદીઓ સિફિલિસની બીમારીથી પીડિત જોવા મળ્યા હતા.

આ પણ વાંચો: 2023માં દર મિનિટે એક એઇડ્સના દર્દીએ ગુમાવ્યો જીવ, જુઓ સંયુક્ત રાષ્ટ્રનો અહેવાલ

ટીબીનો કોઈ કેસ પોઝિટિવ નથી

કેદીઓની તપાસમાં ટીબીનો એકપણ કેસ પોઝિટિવ આવ્યો નથી. તિહાર જેલના પ્રોટેક્ટીવ સર્વે વિભાગે એઈમ્સ અને સફદરજંગ હોસ્પિટલના સહયોગથી મહિલા કેદીઓ માટે સર્વાઈકલ કેન્સર ટેસ્ટ કરાવ્યો હતો. આ ટેસ્ટ એટલા માટે કરવામાં આવે છે કારણ કે મહિલાઓને સર્વાઇકલ કેન્સર થવાની શક્યતાઓ ઘણી વાર હોય છે. આ ટેસ્ટ સાવચેતી રૂપે કરવામાં આવે છે જેથી જો કોઈના સર્વાઈકલ કેન્સર ટેસ્ટ પોઝીટીવ આવે તો તેને શરૂઆતમાં જ સારી સારવાર આપી શકાય. એવું નથી કે આ ટેસ્ટ પોઝિટિવ આવતાં જ કેન્સરની ખબર પડી જાય છે, બસ એટલું જ છે કે જો ખબર પડે કે ગર્ભાશયનું કેન્સર થવાની શક્યતા છે, તો સમયસર ટેસ્ટ કરાવીને સારવાર કરી શકાય છે.

આ પણ વાંચો: ડોડામાં સુરક્ષાદળો પર હુમલામાં સામેલ ત્રણ આતંકવાદીઓના સ્કેચ જાહેર, માહિતી આપનારને લાખોનું ઇનામ

Back to top button