અમદાવાદગુજરાતમધ્ય ગુજરાત

સાળંગપુર હનુમાનજી મંદિરના પાર્કિંગમાં કાર ચાલકે અડફેટે લેતા 12 વર્ષના બાળકનું મૃત્યુ

Text To Speech

બોટાદ, 6 ડિસેમ્બર 2023, ગુજરાતમાં બેદરકાર વાહનચાલકોના કારણે રોડ અને હાઈવે પર થતાં અકસ્માતોની સંખ્યામાં વધારો થયો છે. બીજી તરફ શેરી અને સોસાયટીઓમાં પણ રમી રહેલા બાળકોને વાહન ચાલકો અડફેટે લેતા હોવાની અનેક ઘટનાઓ બને છે. ત્યારે હવે બોટાદના સાળંગપુર હનુમાનજી મંદિરના પાર્કિંગમાં અકસ્માત થતાં 12 વર્ષના બાળકનું મૃત્યુ થયું હોવાની ઘટના બની છે.

પાર્કિંગમાંથી સાયકલ લઈને જતાં બાળકને અડફેટે લીધો
પ્રાપ્ત વિગતો પ્રમાણે બોટાદ જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિરના પાર્કિંગમાંથી સાયકલ લઈને ઘરે જતાં બાળકને એક કારચાલકે ગફલત ભર્યું ડ્રાઈવિંગ કરતાં સાઇકલ સવાર બાર વર્ષીય બાળક મયુર ભાવેશ ભાઈ પરમારનું મૃત્યુ નિપજ્યું છે. મહેસાણાથી દર્શને આવેલા દર્શનાર્થી પરત ફરી રહ્યા હતા ત્યાં મંદિરમાંથી સાયકલ લઈ ઘરે જઈ રહેલ બાળક સાથે અકસ્માત સર્જાયો હતો અને અકસ્માતની જાણ થતાં જ મયુરના પિતા બીજા સેવકો અને મંદિરનાં સંચાલકો ઘટનાં સ્થળે દોડી ગયાં હતા.

પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી
તાત્કાલિક 108 મારફતે બાળકને સારવાર માટે બોટાદની સબિહા હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો, ત્યારબાદ વધુ સારવાર માટે પટેલ હોસ્પિટલ ખાતે ખસેડાયો હતો. જ્યાં સારવાર દરમિયાન બાળકનું મૃત્યુ નીપજતા તેના મૃતદેહને પીએમ માટે સોનાવાલા હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યો હતો.આ બનાવ અંગે પોલીસે અકસ્માતનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

બ્યુરો રિપોર્ટ ઉમેશ ગોરાહવા બોટાદ

આ પણ વાંચોઃ ખેડા સિરપકાંડમાં વધુ એક દર્દીએ અમદાવાદ સિવિલમાં દમ તોડ્યો

Back to top button