અમદાવાદઉત્તર ગુજરાતકચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રાવેલટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલબિઝનેસમધ્ય ગુજરાત

રેલવે દ્વારા 12 ટ્રેનો રદ કરવામાં આવી, તો ઘણી ટ્રેનો ડાઈવર્ટ કરવામાં આવી

  • શિયાળો અને નાતાલને પગલે ભારતીય રેલવે દ્વારા મહત્ત્વપૂર્ણ નિર્ણય લેવાયો
  • રતલામ ડિવિઝનમાં બ્લોકને કારણે 20 ડિસેમ્બરની વેરાવળ-ઈન્દોર મહામના એક્સપ્રેસ ટ્રેન રદ

નવી દિલ્હી, 13 ડિસેમ્બર : જો તમે શિયાળામાં અથવા તો ક્રિસમસ વેકેશનમાં બહાર જવાનું વિચારી રહ્યા છો, તો આ સમાચાર ફક્ત તમારા માટે જ છે. ભારતીય રેલ્વેએ 12 ટ્રેનો રદ કરી છે. આવી સ્થિતિમાં, ટ્રેન ટિકિટ બુક કરાવતા પહેલા, તમારા માટે એ જાણવું ખૂબ જ મહત્વપૂર્ણ છે કે રેલવે દ્વારા કઈ ટ્રેનો રદ કરવામાં આવી છે. જેથી તમને પાછળથી કોઈ પણ પ્રકારની સમસ્યાનો સામનો ન કરવો પડે.

હકીકતમાં, પશ્ચિમ રેલવે રતલામ ડિવિઝનના રતલામ ડાઉન યાર્ડ A કેબિન સાથે પ્લેટફોર્મ નંબર 7 જોડાયેલું છે. જેના કારણે આ માર્ગ બ્લોક કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેના કારણે ઘણી ટ્રેનો રદ કરવામાં આવી છે. આ ઉપરાંત ઘણી ટ્રેનોના રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યા છે. વધુ મુશ્કેલીથી બચવા માટે કેટલીક ટ્રેનોને પહેલાથી જ બંધ કરી દેવામાં આવી છે. આ પ્રસ્તાવિત બ્લોકને કારણે 20 ડિસેમ્બરના રોજ ભાવનગર ડિવિઝનના વેરાવળ સ્ટેશનથી ચાલતી વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ ટ્રેન રદ (Cancel) રહેશે.

  • કઈ-કઈ ટ્રેનોને રદ કરવામાં આવી
  1. 19 ડિસેમ્બરના રોજ ઇન્દોરથી ચાલતી ટ્રેન નંબર 19320 ઇન્દોર-વેરાવળ મહામના એક્સપ્રેસ સંપૂર્ણપણે રદ (Fully Cancelled) રહેશે.
  2.  20 ડિસેમ્બરના રોજ વેરાવળથી ચાલતી ટ્રેન નંબર 19319 વેરાવળ-ઇન્દોર મહામના એક્સપ્રેસ ટ્રેન સંપૂર્ણપણે રદ (Fully Cancelled) રહેશે.
  3. ટ્રેન નંબર 19820 કોટા-વડોદરા એક્સપ્રેસ 19થી 25 ડિસેમ્બર અને ટ્રેન નંબર 19819 વડોદરા-કોટા એક્સપ્રેસ 20થી 26 ડિસેમ્બર સુધી રદ કરવામાં આવી છે.
  4. 20થી 25 ડિસેમ્બર સુધી રતલામથી કોટા ટ્રેન નંબર 19104 અને કોટાથી રતલામ ટ્રેન રદ કરવામાં આવી છે.
  5. ટ્રેન નંબર 09546 નાગદા રતલામ પેસેન્જર અને ટ્રેન નંબર 09545 રતલામ નાગદા પેસેન્જર 20 ડિસેમ્બરથી 25 ડિસેમ્બર 2023 સુધી રદ કરવામાં આવી છે.
  6. ટ્રેન નંબર 09358 રતલામ દાહોદ પેસેન્જર અને દાહોદથી રતલામ જતી ટ્રેન નંબર 09357 પણ રદ રહેશે.
  7. ટ્રેન નંબર 20936 અને 20935 સુપરફાસ્ટ એક્સપ્રેસ ઈન્દોરથી ગાંધીધામ અને ગાંધીધામથી ઈન્દોર 24 અને 25 ડિસેમ્બરે રદ રહેશે.
  8. ટ્રેન નંબર 19340 ભોપાલ દાહોદ એક્સપ્રેસ નાગદા સુધી ચાલશે અને નાગદા અને દાહોદ વચ્ચે 19 થી 25 ડિસેમ્બર સુધી રદ રહેશે.
  9.  20થી 25 ડિસેમ્બર સુધી દાહોદથી ચાલતી ટ્રેન નંબર 19339 નાગદાથી દોડશે અને દાહોદ અને નાગદા વચ્ચે રદ રહેશે.
  • કઈ-કઈ ટ્રેનોના રૂટનું ડાયવર્ઝન કરવામાં આવ્યું ?
  1. ટ્રેન નંબર 19667 ઉદયપુર સિટી મૈસુર વીકલી એક્સપ્રેસને 18 ડિસેમ્બર 2023ના રોજ ડાયવર્ટ કરવામાં આવી છે. ઉદયપુરથી ચાલતી ટ્રેન હિંમતનગર-અસારવા-અમદાવાદ-વડોદરા થઈને જશે.
  2. ઉદયપુર સિટી મૈસુર વીકલી એક્સપ્રેસની ડાઉન ટ્રેન નંબર 19668 વડોદરા-અમદાવાદ-અસારવા-હિંમતનગર થઈને દોડશે.
  3. ઉદયપુર સિટી બાંદ્રા ટર્મિનસ ટ્રાઇ વીકલી એક્સપ્રેસ ટ્રેન 22901 બાંદ્રા ટર્મિનસથી 19, 21 અને 23 ડિસેમ્બરના રોજ અમદાવાદ-ઉસખવા-હિંમતનગર થઈને વડોદરા પહોંચશે.
  4. જ્યારે 20, 22 અને 24 ડિસેમ્બરે ઉદયપુર સિટી બાંદ્રા ટર્મિનસ ટ્રાઇ વીકલી એક્સપ્રેસ ડાઉન ટ્રેન નંબર 22902 ઉદયપુર સિટી-હિંમતનગર-અસારવા-અમદાવાદ થઈને દોડશે.
  5. બીજી તરફ, અજમેર બાંદ્રા ટર્મિનસ એક્સપ્રેસ ટ્રાઇ વીકલી ડાઉન ટ્રેન નંબર 12995નો રૂટ પણ 19, 21 અને 23 ડિસેમ્બરે બદલવામાં આવ્યો છે. હવે આ ટ્રેન અજમેર થઈને વડોદરા પહોંચશે.
  6. 21 ડિસેમ્બરે યશવંતથી જયપુર જતી ટ્રેન નંબર 82653નો રૂટ પણ ડાયવર્ટ કરવામાં આવ્યો છે. આ ટ્રેન વડોદરા-અમદાવાદ-પાલનપુર-અજમેર થઈને દોડશે.
  7. 23મી ડિસેમ્બરે જયપુરથી ચાલતી ટ્રેન નંબર 82654 જયપુર અને યશવંત વીકલી એક્સપ્રેસ અજમેર-પનલપુર-અમદાવાદ-વડોદરા થઈને દોડશે.

રેલયાત્રી ટ્રેનોના સંચાલનથી સંબંધિત નવીનતમ અપડેટ્સ વિશેની માહિતી માટે, વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લે જેથી કોઈ અસુવિધા ન થાય.

આ પણ જુઓ :ગુજરાતથી ઉપડતી વૈષ્ણોદેવી ધામની સ્પેશિયલ ટ્રેનમાં આ વસ્તુ માટે રેલવેતંત્રે પ્રતિબંધ મુક્યો

Back to top button