ચૂંટણી 2024ટોપ ન્યૂઝનેશનલ

અજિત પવાર જૂથના 10 થી 15 ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં ! કંઈ નવા જૂની ?

Text To Speech

મુંબઈ, 6 જૂન : અજિત પવાર ગુરુવારે ટ્રાઇડેન્ટ હોટેલમાં તેમના ધારાસભ્યો સાથે બેઠક કરવાના હતા. સમાચાર આવી રહ્યા છે કે તેમના પાંચ ધારાસભ્યો આ બેઠક માટે હોટલ પહોંચ્યા નથી. અગાઉ, સૂત્રોને ટાંકીને એવા અહેવાલ હતા કે અજિત પવાર જૂથના 10 થી 15 ધારાસભ્યો શરદ પવારના સંપર્કમાં છે.

અજિત પવારના ઘરે બેઠક મળી હતી

મળતી માહિતી મુજબ, લોકસભા ચૂંટણી બાદ અજિત પવારે ટ્રાઈડન્ટ હોટલમાં પોતાના તમામ ધારાસભ્યોની બેઠક બોલાવી હતી. આ પહેલા ગુરુવારે અજિત પવારના ઘરે તમામ કોર કમિટીના સભ્યોની બેઠક મળી હતી જેમાં સાંજે ધારાસભ્યોની બેઠક બોલાવવામાં આવી હતી.

બારામતીની હારથી પાર્ટી નાખુશ

અજિત પવારની NCP પહેલેથી જ મુશ્કેલીમાં છે. શરદ પવારની આગેવાની હેઠળની NCPએ દાવો કર્યો છે કે અજિત પવારના ઘણા ધારાસભ્યો તેમના સંપર્કમાં છે અને તેઓ ફરીથી પાર્ટીમાં જોડાવા માંગે છે. પાર્ટી લોકસભા ચૂંટણીમાં ખરાબ પ્રદર્શન અને ખાસ કરીને બારામતીમાં હારથી ખુશ નથી, જ્યાં અજિત પવારની પત્ની સુનેત્રા પવાર સુપ્રિયા સુલે સામે મોટા માર્જિનથી હારી ગયા હતા.

NCP (શરદ પવાર)ની બેઠક 9 જૂને યોજાશે

અજિત પવારની પાર્ટીએ હજુ સુધી તેના પાંચ ધારાસભ્યો હોટલમાં બોલાવેલી બેઠકમાં ભાગ ન લેવા પાછળના કારણ અંગે કોઈ નિવેદન બહાર પાડ્યું નથી. એનસીપી (શરદ પવાર)ના પ્રદેશ અધ્યક્ષ જયંત પાટીલે કહ્યું હતું કે ઘણા લોકો અમારા સંપર્કમાં છે. અમે 9 જૂનની બેઠકમાં આ દરખાસ્તો પર વિચાર કરીશું. અમારો સ્થાપના દિવસ 10મી જૂને છે.

Back to top button